ત્યારે આવા સમયે ભારતીય રેલવે દ્વારા માં વૈષ્ણોદેવીના દર્શન માટે ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. અને તેનો લાભ લેવા માટે થોડા જ દિવસો બાકી છે. જેથી જો તમે કોઈ પ્લાન કરી રહ્યા હોલ તો આ સમાચાર તમારા માટે છે.
આ પેકેજમાં કુલ 3 રાત અને 4 દિવસોનું પેકેજ
IRCTC દ્વારા જાહેર કરવામાં આવેલ આ પેકેજમાં કુલ 3 રાત અને 4 દિવસોનું પેકેજ છે. અને ભારતીય રેલવેનું આ એક ખાસ ટ્રેન પેકેજ છે. આ પેકેજમાં જો તમને લાભ મળે છે તો તમારે થર્ડ એસીમાં યાત્રા કરવી પડશે.
આ પેકેજની શરુઆત ક્યારથી થાય છે
IRCTC દ્વારા શરુઆત કરવામાં આવેલ આ પેકેજમાં યાત્રાની શરુઆત 15 મે 2023ના રોજ દિલ્હીથી શરુ થઈ રહી છે. અને આ પેકેજ પુરી રીતે ઈન્શોર્ડ રહેશે. અને યાત્રા કરતી વખતે તમને કોઈપણ જાતની મુશ્કેલીનો સામનો નહી કરવો પડે. એટલે કે આ પેકેજમાં તમારી રહેવાની, ખાવા-પીવીની દરેક વ્યવસ્થા IRCTC દ્વારા કરવામાં આવી છે.
આ યાત્રામાં થતો ખર્ચ
આ યાત્રામાં એકલા માટે પ્રતિ વ્યક્તિનો ચાર્જ 10395 રુપિયા ભરવા પડશે. અને જો તેમા બે લોકો સાથે હોય તો પ્રતિ વ્યકિત 7855 રુપિયા આપવા પડશે. તેમજ જો ત્રણ લોકો સાથે યાત્રા કરશો તો તમને તેનો ચાર્જ 6795 રુપિયા જ ચુકવવા પડશે.