આજે દેશને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. PM મોદીએ આજે 16મી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી દીધી છે. ટ્રેનને લીલી ઝંડી આપતા પહેલા પીએમ મોદીએ અહીં રોડ શો યોજ્યો હતો. ટ્રેનના ઉદ્ઘાટન પહેલા તેઓ બાલકોને મળ્યા અને તેમની સાથે વાતો પણ કરી. એટલે કે મંગળવાર, 25 એપ્રિલ, 2023ના રોજ પીએમ તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન તિરુવનંતપુરમ અને કાસરગોડ વચ્ચે પ્રથમ વખત દોડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશન પર તિરુવનંતપુરમ અને કાસરગોડ વચ્ચે દોડતી કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત ટ્રેન કેરળના 11 જિલ્લાઓમાંથી પસાર થશે જેમ કે તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, પથાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ.
લોકોની સુવિધા માટે ટ્રેનને કુલ 14 સ્ટેશનો પર રોકવામાં આવશે. પીએમ મોદીએ પણ ટ્રેનના ઉદ્ઘાટન પહેલા ટ્વિટર પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. બાકીની વંદે ભારત ટ્રેનોની જેમ આ ટ્રેન પણ 26 એપ્રિલથી અઠવાડિયામાં 6 દિવસ દોડશે. તિરુવનંતપુરમથી કાસરગોડનું કુલ અંતર 586 કિલોમીટર છે. આ ટ્રેન ગુરુવાર સિવાયના તમામ દિવસોમાં ચાલશે.
તિરુવનંતપુરમથી સવારે 5.20 વાગ્યે નીકળીને 1.25 વાગ્યે કાસરગોડ પહોંચશે. આ પછી 2.20 મિનિટે કાસરગોડથી નીકળીને 10.35 મિનિટે તિરુવનંતપુરમ પહોંચશે. તે 7 કલાકમાં 586 કિલોમીટરનું અંતર કાપશે.
ટિકિટ ભાડાની વાત કરીએ તો તિરુવનંતપુરમથી કાસરગોડ વચ્ચે ચેયર કાર ક્લાસ માટે 1,590 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ક્લાસ માટે 2,880 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ કાસરગોડથી તિરુવનંતપુરમ માટે ચેયર કારમાં 1,520 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ક્લાસ માટે 2,815 રૂપિયાનું ભાડું ચૂકવવી પડશે.
મળતી માહિતી મુજબ PM મોદી તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી સવારે 10.30 વાગ્યે વંદે ભારત એક્સપ્રેસને રવાના કર્યા બાદ સવારે 11 વાગ્યે વડા પ્રધાન તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં 3200 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. આ સિવાય પીએમ મોદી સાંજે 4 વાગ્યે નમો ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચની મુલાકાત લેશે. PM સાંજે 4.30 વાગ્યે દાદર અને નગર હવેલી સિલ્વાસામાં રૂ. 4850 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને ત્યારબાદ સાંજે 6.10 વાગ્યે દમણમાં રોડ શો કરશે. દેવકા સાંજે 6.30 વાગ્યે દમણમાં સીફ્રન્ટનું ઉદ્ઘાટન પણ કરશે.