ભારતીય સૈન્ય સામે પાકિસ્તાની સૈન્ય ટકી શકવાની ક્ષમતા ધરાવતી જ નથી. તેની સાથે જ ભારત વિરુદ્ધ લડવા માટે તેની પાસે વિસ્ફોટક અને આર્થિક તાકાત પણ નથી. આ વાતો પાકિસ્તાનના પૂર્વ સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ કહી હતી. બ્રિટન સ્થિત એક પાકિસ્તાની મીડિયાના શોમાં તેનો ઉલ્લેખ કર્યો હતો.
મીર અનુસાર જનરલ બાજવાએ સ્વીકાર્યું કે પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ કરી શકે તેમ નથી. કમાન્ડરોના સંમેલન દરમિયાન બાજવાએ એ પણ સ્વીકાર્યું કે પાકિસ્તાની સૈન્ય અને ભારતીય સૈન્યની કોઈ તુલના થઈ શકે તેમ જ નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાની સૈન્ય ભારત સામે લડવામાં અસમર્થ છે. જોકે બાજવાએ અગાઉ પણ એક સંમેલનમાં કહ્યું હતું કે ટેન્ક કામ કરવાની સ્થિતિમાં નથી. તોપોની અવર-જવર માટે પણ ડીઝલની પૂરતી વ્યવસ્થા નથી.
દરમિયાન જનરલ બાજવાએ કહ્યું કે 2021માં ખુલાસો કર્યો હતો કે તેમણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ગુપ્ત વાતચીત કરી હતી. સંઘર્ષ વિરામની જાહેરાતના તાત્કાલિક પછી વડાપ્રધાન મોદીની પાકિસ્તાનની યાત્રાની યોજના કેવી રીતે બની તેના વિશે જણાવ્યું.