પૂંછ જિલ્લાના મેજિસ્ટ્રેટ યાસીન એમ.ચૌધરીએ લગ્ન સમારોહ દરમિયાન આતશબાજી કરવા, ફટાકડાં ફોડવા, ફટાકડાંના વેચાણ તથા તેના સંગ્રહ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પગલું એસએસપીના આગ્રહ બાદ અને સુરક્ષા અને આતંકીઓ દ્વારા આપવામાં આવેલી ચેતવણીને ધ્યાનમાં રાખી લેવાયો હતો. આગામી આદેશ સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે.
કેમ લેવાયો નિર્ણય?
એસએસપીએ જણાવ્યું કે હાલમાં લગ્ન સમારોહની સિઝન હોવાથી લોકો ભારે માત્રામાં ફટાકડાં ફોડે છે. તેનાથી સામાન્ય લોકો સહિત સુરક્ષાદળો તથા પોલીસ પણ મુંઝવણમાં મૂકાઈ જાય છે કે ક્યાંક આતંકી હુમલો તો નથી થયો ને? બીજી બાજુ આતંકીઓની ચેતવણીને કારણે આગામી દિવસોમાં સુરક્ષાદળો માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં અવરોધ પેદા થઈ શકે છે.
આદેશ હેઠળ નગરપાલિકા પૂંછ તથા સુરનકોટને આ આદેશને લોકો સુધી પહોંચાડવા માટે પ્રચાર માધ્યમોનો પ્રયોગ કરવાનો આદેશ પણ આપ્યો છે.